દિવાળીના તહેવારો દરમ્યાન રામવન મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે

હિન્દ ન્યુઝ, રાજકોટ 

        રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ધ અર્બન ફોરેસ્ટ – રામવન દિવાળીના તહેવારો દરમિયાન મુલાકાતીઓ માટે રાબેતામુજબ ખુલ્‍લુ રહેશે. સામાન્યરીતે રામવન સફાઈ અને મેઇન્ટેનન્સ બાબતે અઠવાડિયાના દર સોમવારે બંધ રાખવામાં આવે છે પરંતુ તા.૧૨/૧૧/૨૦૨૩ના રોજ દિવાળી તહેવારો નિમિતે રામવન સહેલાણીઓ માટે ખુલ્લું રહેશે તેમ, મેયર શ્રી નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન સોનલબેન સેલારાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

તેમણે સંયુક્ત યાદીમાં વધુ જણાવ્યું હતું કે, તહેવારોને ધ્યાનમાં રાખીને રામવન ખાતે મુલાકાતીઓ રજાના દિવસોમાં ફરવા જઈ શકે અને પ્રાકૃતિક સોંદર્યનો આનંદ ઉઠાવી શકે તે માટે સુદ્રઢ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Related posts

Leave a Comment